નવી દિલ્હી તા. ર૯ :.. કોરોના મહામારીના કારણે વિમાનોમાં સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરાવવા અને સીટ પર દુર દુર બેસાડવાથી ટીકીટોના ભાવ લગભગ ચાર ગણા વધવાની શંકા કનિદૈ લાકિઅ વ્યકત કરાઇ રહી છે. સુત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, વર્તમાન પ્રોટોકોલ પ્રમાણે જો વિમાનમાં આ નિયમો અપનાવાય તો વિમાનમાં ફકત રપ ટકા કનિદૈ લાકિઅ યાત્રીકોને જ અકિલા લઇ જઇ શકાશે. એટલે કે કંપનીઓ ટીકીટના ભાવો વધારી શકે છે. ખાનગી વિમાની કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે અત્યારે કંપની પુરી કનિદૈ લાકિઅ ક્ષમતા સાથે ઉડયન કરવા પર વિચારી રહી છે. તેમના અનુસાર, એરપોર્ટ પર ભલે સોશ્યલ અકીલા ડીસ્ટન્સીંગનું પાલન કરી શકાય પણ વિમાનની અંદર તેને લાગુ કનિદૈ લાકિઅ કરવુ મુશ્કેલ બનશે. તેના બદલે કંપનીઓ મુસાફરો માટે માસ્ક અને સેનેટાઇઝર ફરજીયાત કરશે. સાથે જ વિમાનની અંદર ખાવા પીવાની વ્યવસ્થા બંધ કરવા કનિદૈ લાકિઅ અને તેમને કોઇ સાથે હળવા-મળવા ન દેવાનું કડકાઇ પૂર્વક પાલન કરાવવા પર વિચારી રહી છે. જો કે અત્યારેતો બધી એરલાઇન્સો હવાઇ યાત્રા શરૂ કરવા અને કનિદૈ લાકિઅ તેનું ઔપચારિક બુકીંગ શરૂ કરવા મટે ડીજીસીએની મંજૂરી અને ઉડ્ડયન દરમ્યાન મુસાફરોના બેસવા માટેના નિયમોની રાહ જોઇ રહી છે. હાલની આર્થિક પરિસ્થિતિમાં કનિદૈ લાકિઅ હવાઇ યાત્રા પહેલા જેવી થવામાં મુશ્કેલી થવાની છે. ઉડ્ડયન બાબતોના નિષ્ણાંત અરવિંદ સિંહે કહયું કે હવાઇ યાત્રાએ પહેલાની સરખામણીમાં ૪૦ કનિદૈ લાકિઅ ટકા ઘટી જશે.
